સતત હંગામો વચ્ચે બિલ રજુ થવાની આશાઓ ખુબ ધુંધળી
કેન્દ્ર સરકાર સંસદના વર્તમાન સત્રમાં જ ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ રજૂ કરી શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવા માંગે છે, તેથી આ બિલને સંસદમાંથી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને ચર્ચા માટે મોકલવામાં આવશે. JPC આ બિલ પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે.આ ઉપરાંત, તમામ રાજ્યોની વિધાનસભાઓના વક્તા અને દેશભરના બૌદ્ધિકો અને અન્ય સ્ટેકહોલ્ડર્સને પણ આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે. સામાન્ય લોકોના અભિપ્રાય પણ લેવામાં આવશે.આ બિલના મુખ્ય પાસાઓ, જેમાં તેના લાભો અને સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણીઓ લાગુ કરવા માટેની લોજિસ્ટિકલ પદ્ધતિઓનો સમાવેશ થાય છે, તે ચર્ચા દરમિયાન સંપૂર્ણ રીતે તપાસવામાં આવશે. ‘એક દેશ, એક ચૂંટણી’ની વિભાવનાને વારંવાર ચૂંટણીઓ સાથે સંકળાયેલા ખર્ચ અને વિક્ષેપોને ઘટાડવા માટે નોંધપાત્ર સુધારા તરીકે ગણવામાં આવે છે. એક તરફ જ્યાં સરકાર વ્યાપક સમર્થન મેળવવા માટે આશાવાદી છે, ત્યારે બીજી તરફ આ દરખાસ્ત તીવ્ર રાજકીય ચર્ચાને વેગ આપે તેવી અપેક્ષા છે. વિરોધ પક્ષો તેની સંભવિતતા પર વિરોધ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
હાલ ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. એટલે કે, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરી સરકારો છૂટી શકશે.વન નેશન, વન ઈલેક્શનથી દરવર્ષે થતો કરોડોનો ચૂંટણી ખર્ચ અને માનવ ખર્ચ બચી શકે છે.
એ રાહ નહીં આસાન!
મોદી સરકારના તર્ક
‘વન નેશન, વન ઈલેક્શન’ નરેન્દ્ર મોદી સરકારની અગ્રીમ પ્રાથમિકતાઓ પૈકી એક મનાય છે.જેને પાસ કરાવવા માટે સરકાર ભરૂપર પ્રયાસો પણ કરી રહી છે. મોદી કેબિનેટે 18 સપ્ટેમ્બરે ‘વન નેશન વન ઇલેક્શન’ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકાર છેલ્લા કેટલાક સમયથી એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર મૂકી રહી છે. આ બિલ અંગે સરકારનો તર્ક છે કે વર્તમાન ચૂંટણી પ્રણાલીમાં સમય, નાણાં અને શ્રમનો વ્યય થાય છે. ચૂંટણી પહેલા જાહેર કરાયેલી આદર્શ આચારસંહિતા વિકાસના કામો પર બ્રેક લગાવે છે. એકસાથે ચૂંટણી યોજવાથી સમય, નાણાં અને શ્રમની બચત થશે. વિકાસના કામો કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ શકે છે.
32 રાજકીય પક્ષનું સમર્થન
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ ‘વન નેશન, વન ઇલેક્શન’ના મુદ્દે 62 પક્ષનો સંપર્ક કર્યો હતો અને પ્રતિક્રિયા આપનારા 47 રાજકીય પક્ષમાંથી 32 પક્ષે એકસાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું, જ્યારે 15 પક્ષે વિરોધ કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર કુલ 15 પક્ષે જવાબ આપ્યો નથી.વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. એ 18,626 પેજનો છે. આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સ્ટેકહોલ્ડર્સ-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસનાં સંશોધનનું પરિણામ છે.
BY DIPAK KATIYA ON DECEMBER 10, 2024
આજની પેઢીની રોમાન્સ ડ્રામા થી ભરપૂર લવસ્ટોરી એટલે કે ‘લવયાપા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં…
વડોદરાની પાણી સમસ્યા હલ કરવા પાલિકાએ બજેટમાં બતાવ્યું 'પાણી'! બજેટમાં શુધ્ધ પાણી વિતરણ અને ગટર…
- રોજે ખવાતા પાનનો રસિલો ઇતિહાસ મઘમઘતું પાન તારું ઝણકાવે અંતર મારું, ખઇકે પાન બનારસવાલા,…
પહેલાં આવો હતો કાંકરિયાનો નઝારો હૌજ-એ-કુતુબ તરીકે પ્રસિદ્ધ હતું આ તળાવ.આજની પેઢીને અગાઉનું કાંકરિયા કેવું…
શિરદર્દ 'પાર્કિંગ' સમસ્યાનો 'તોડ' પ્લોટ પાર્કિંગ? 'પ્લોટ પાર્કિંગ' પોલીસી કેટલી કારગત નવડશે?બજેટમાં વિવિધ વિસ્તારોમાં 19…
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના…