Story

અંધેરી નગરીના ગાડા અને ન્યાયના ખાડા

“અંધેરી નગરી ને ગંડુ રાજા” જેવો ઘાટ

નગરનો ગરીબ “લાલો” નગરના “ખાડે”

આ વાર્તા છે અંગ્રેજોના જમાનાની…. જયારે રાજાઓ અંગ્રેજોના ગુલામ હોય આ શાશન હેઠળ એક યમનગર નામનું રાજ્ય હતું. જ્યાં “કર” લાલચુ કહેવાતા રાજા ત્રિકમ પ્રજા પાસે “કર” તો તગડો વસૂલતા, પરંતુ , પ્રજાના ન્યાયની વાત આવે તો મનસ્વી નિર્ણયો માટે પણ જાણીતા હતા. તે વખતે નગરમાં વસતો એક ગરીબ લાલો બળદગાડું હંકારી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એક વખતની વાત છે લાલાને અન્ય નગરમાંથી રામસીંગ નામના ખેડૂતે અન્ય નગરમાંથી અનાજ લાલવાનું કામ આપ્યું હતું. કામ મળતા જ લાલો પોતાનું બળદગાડુ લઇ અન્ય નગર જવા નીકળી પડ્યો હતો.

આ દરમ્યાન ચોમાસાની ઋતુ હોય પોતાના નગરના પ્રવેશદ્વારે માર્ગનું ધોવાણ થવાથી ભુવો નજરે ચડ્યો હતો. જેથી તેણે સાવચેતી પૂર્વક પોતાનું બળદગાડું પસાર કર્યું હતું. ત્રણ દિ પસાર થયા અને લાલો બળદગાડામાં અનાજ ભરી પરત નગરના પ્રવેશદ્વારે આવી પહોંચ્યો હતો. જો કે, રાત્રીના સમયે ભુવો નજરે ન ચડતા બળદગાડું ઊંધું વળી ગયું હતું. આ ઘટનામાં લાલો ગંભીર રીતે ઘવાયો હતો. સાથે અનાજ પણ પાણી ભરેલ ખાડામાં પડી જતા ભારે નુકશાની વેઠવાનો વખત આવ્યો હતો.

 

સારવાર દરમ્યાન ભારે કપરી પરિસ્થિતિ વચ્ચે બે મહિના વિતાવ્યા બાદ લાલો ન્યાયની આશા માટે રાજાના દરબાદમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાની વ્યથા જણાવતા રજુઆત કરી કે, મહારાજ વીતેલા વર્ષે નગરમાં પાકો રસ્તો બનાવવા “પ્રજાએ ડબલ કર” ચુકવ્યો હતો. અને રસ્તો સાંકળો અને નબળો હોવાથી ખુબ ટૂંકા ગાળામાં ધોવાઈ ગયો છે. જેના કારણે મારુ ગાડું પલ્ટી જતા મને ભારે નુકશાન પહોંચ્યું છે.

 

નગરના સેનાપતિ હસમુખએ પણ નગરનું જરૂરી ધ્યાન રાખ્યું ન હોય સમયસર સમારકામ કરાવ્યું નથી. લાલાની વાત સાંબળી રાજાએ કારીગર ચમન, કડિયો ચંદુ અને સેનાપતિને દરબારમાં હાજર કરાવ્યા બાદ દરબારમાં ભારે ચર્ચા ચાલી હતી. જેમાં માર્ગની ગુળવતાની જવાબદારી સાંભળનાર ચમનએ કહ્યું , મહારાજ રસ્તાના ભંડોળમાંથી સેનાપતિ સાથે અન્ય કેટલાકને પણ હિસ્સો ચુકવ્યો છે. અને ચૂકવણાં બાદ વધેલી રકમમાંથી અપૂરતા મટીરીયલ સાથે માર્ગનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે. આ કિસ્સામાં આટલો મોટો ખાડો કેમ ન દેખાયો? બળદ અને લાલાની દ્રષ્ટિ ચકાસવાની જરૂર છે. ચમનનો બચાવ કરતા ચંદુએ કહ્યું , મહારાજ લાલાને ગાડું હાંકતા આવડતું નહિ હોય એટલે એટલે ઘટના ઘટી હશે. તો વળી સેનાપતિએ અંગ્રેજોના કાયદાની સમજણ રાજાને આપતા જણાવ્યું કે, પ્રજાની સવલત કરતા વધુ જરૂરી કર છે. તેવો આપ તરફથી આદેશ છે. જો ભાગબટાઈની વાત અંગ્રેજો સુધી પહોંચશે તો આપણી મલાઈ તેઓ ખાઈ જશે. આ કિસ્સામાં બળદ ગાળા સાથે દીવાબત્તી રાખવી જોઈતી હતી.

આમ , અડધો દિ પસાર થયો અને આખરે નિર્ણયની ઘડી આવી . અને રાજાએ નિર્ણય કર્યો કે , નગરમાં વેપારીને બોલાવી દીવાબત્તી બનાવી વેચવા કહો , હવેથી બળદ ગાળા સાથે દીવાબત્તી રાખવી ફરજીયાત છે , સાથે નગરમાં વૈદ્યની નિમણુંક કરો જે દર સપ્તાહે ફી વસૂલી બળદ અને હાંકનારના સ્વાસ્થ્યની ખરાઈ કરશે. આ કિસ્સામાં બળદ તથા લાલાની દ્રષ્ટિની ચકાસણી કરાશે, અને પહાડી રસ્તે ગાડું હાંકી શકે તેવાને પ્રમાણપત્ર આપવાનું કામ મહાવત આપો. લાલો પણ પહાડી રસ્તે ગાડું હાંકશે અને લાલો ગાડું હાંકવાની લાયકાત ધરાવે છે કે નહિ , તે નિર્ણય મહાવત કરશે , રાજાએ વધુમાં કહ્યું કે, જો આ મામલે લાલો ખોટો ઠરે તો સમયના વ્યય બદલ બે દીનો કારાવાસ ભોગવશે અને સાચો ઠરે તો કારીગર ચમન, કડિયો ચંદુ અને સેનાપતિને ઠપકો આપી છોડી મુકીશું.

BY KALPESH MAKWANA ON NOVEMBER 15, 2024

City Updates

Recent Posts

સાંસદોને પગાર વધારાની જરૂર લાગે છે!?

24 ટકાના વધારા પછી લોકોના મનમાં એક જ સવાલ,સાંસદો 5 વર્ષમાં કેવી રીતે કરોડો કમાતા…

10 hours ago

આજે વિશ્વ વન દિવસ..જાણો કેમ મહત્વનો છે આજનો દિવસ

દર મીનીટે 36 ફુટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઇ રહ્યો છે. ભારતમાં 33%ને બદલે…

5 days ago

વિશ્વ કવિતા દિવસ 2025: કવિતાનું મહત્વ અને સમાજમાં તેની ભૂમિકા

આજે વિશ્વ કવિતા દિવસ છે ત્યારે પ્રેમ હુંફ અને લાગણીઓ સાથે કલ્પનાની દુનિયા ઉમેરાય અને…

5 days ago

ગુજરાત પોલીસનું ઓપરેશન પતાલલોક: ગુંડાઓ સામે કડક કાર્યવાહી

પોલીસનું ઓપરેશન પતાલલોક! ડીજીપીના આદેશ છુટતા બિલમાં સંતાયેલાને બહાર લાવી કાયદાનો ડંડો વીંઝાશે!ગુંડારાજ વધતા પોલીસ…

6 days ago

મસાનમાં ‘ભસ્મ હોળી’ કેમ રમાય છે જાણો?

આ અનોખી પરંપરા અનાદિ કાળથી ચાલતી હોવાનો દાવો.મસાન હોળી વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર મનાવવામાં આવી.…

2 weeks ago

હજુ પણ ગુજરાતમાં જીવે છે અંધશ્રદ્ધા!

અંધશ્રદ્ધાના અંત માટે સ્વૈચ્છિક સંગઠનો અને સરકાર દ્વારા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. છતાં સમાજમાંથી…

2 weeks ago