Categories: Magazine

અયોધ્યામાં 11 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અયોધ્યામાં ફરી ગુંજશે રામ’નાદ

11 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરાશે.વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ખાસ પૂજા અર્ચના.પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ કાર્યક્રમ ભવ્ય અને દિવ્ય રહ્યો હતો.

કરોડો ભક્તોની આસ્થાનું દિવ્ય સ્થાન હવે ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યા પણ બની રહ્યું છે,500 વર્ષ સુધી રામલલ્લા ઝોપડીમાં બિરાજમાન રહ્યા બાદ ગતવર્ષે જ ભગવાન રામના ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રામલલ્લાનું અદભુત અને મનમોહક સ્વરૂપને પ્રાણ પ્રતિષ્ઠા સાથે બિરાજમાન કરવામાં આવ્યું હેતુ.રામ મંદિર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી વિશ્વભરના કરોડો ભક્તોની આસ્થા અને વિશ્વાસની જીત સમાન બની રહ્યો હતો ત્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ આગામી સમયમાં આવી રહી છે.રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.અયોદ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં અનેરા ઉત્સાહ સાથે ધામધૂમથી ઉજવવામાં આવશે.રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સોશિયલ મીડિયા થાકી આ જાણકારી આપી છે. અયોધ્યા સ્થિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામ લલ્લા વિગ્રહના અભિષેકની પ્રથમ વર્ષગાંઠ 11 જાન્યુઆરી 2025ના રોજ માનવવમાં આવશે,જેમાં હજારો ભક્તો અયોધ્યામાં ઉમટી પડશે તેમ મનાય છે.

આમ તો 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં ભગવાન રામલલ્લાની દિવ્ય પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા સંપૂણ ભારતીય સંસ્કૃતિ સાથે વૈદિક પરંપરા સાથે કરવામાં આવી હતી.ત્યારે રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી માટે પણ અયોધ્યા સહીત દેશભરમાં અપાર શ્રધ્ધાનો પ્રવાહ વહેતો થયો છે. પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ દ્વાદશી તરીકે ઉજવવામાં આવશે.આ દિવસે મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે સાથે જ યજ્ઞમંડપમાં સવારે 8 થી 11 અને ફરીથી બપોરે 2 થી 5 દરમિયાન શુક્લ યજુર્વેદના મંત્રો સાથે અગ્નિહોત્રનું આયોજન કરવામાં આવશે.આ ઉપરાંત 6 લાખ શ્રી રામ મંત્રો અને રામ રક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા સહિત અન્ય ધાર્મિક મંત્રોના જાપ પણ કરવામાં આવશે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર બપોરે 3 થી 5 દરમિયાન રાગ સેવા અને સાંજે 6 થી 9 દરમિયાન અભિનંદન ગીતો રજૂ કરવામાં આવશે.આમ ફરી એકવાર અયોધ્યા જ નહીં પણ ભારત આખું ભગવાન શ્રીરામના નાદથી ગુંજી ઉઠશે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 નહીં પરંતુ 11 જાન્યુઆરીએ ઉજવાશે જાણો કેમ?

હિન્દી તિથિ અનુસાર, ભગવાન શ્રી રામ પોષ મહિનાની દ્વાદશી તિથિએ બિરાજમાન થયા હતા,જે આ વર્ષે 11 જાન્યુઆરીએ આવે છે એટલે તારીખ પ્રમાણે નહિ પણ હિન્દી તિથિ મુજબ 22 નહીં પરંતુ 11 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠ ઉજવવામાં આવશે.અયોધ્યામાં 9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી ત્રણ દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં રામ ભક્તો, સંતો, વેપારી વર્ગ અને ભક્તોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે રામ મંદિર ટ્રસ્ટે તૈયારીઓ તેજ કરી દીધી છે.

રામમંદિરમાં ક્યા કયા કાર્યક્રમો થશે..

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી માટે અત્યારથી જ ખાસ પ્રકરની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે,અયોધ્યા ફરી રામના રંગે રંગાઈ જશે. પ્રથમ વર્ષગાંઠ દ્વાદશીના કાર્યક્રમને લઇ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે વૈદિક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.રામ મંદિરના પેસેન્જર ફેસિલિટેશન સેન્ટરના પહેલા માળે રામચરિતમાનસના સંગીતમય પાઠ યોજાશે તો અંગદ ટીલા ખાતે રામ કથા સાતેહ રામચરિતમાનસ પર પ્રવચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે,તેમજ અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે સવારથી શ્રી રામના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવનાર છે.

મહાકુંભ પહેલા મહાઉત્સવનું સાક્ષી બનશે ભારત

નવાવર્ષની શરૂઆત સાથે જ ભારતમાં અનેકવિધ ધાર્મિક મહામહોત્સવ યોજાનારા છે જેમાં ઉત્તરપ્રદેશના પ્રાયગરાજમાં મહાકુંભની પણ શરૂઆત થવાની છે,જોકે મહાકુંભ પહેલા જ 11 જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામના મહાઉત્સવનું સાક્ષી ભારત બનવા જઈ રહ્યું છે.જે માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તમામ શ્રદ્ધાળુઓ અને તીર્થયાત્રીઓને આ ઐતિહાસિક અવસરમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. આ દિવસ અયોધ્યા અને ભારત માટે વિશેષ ધાર્મિક મહત્વનો રહેશે, જેમાં ભક્તો શ્રી રામ પ્રત્યે તેમની આદર અને ભક્તિ વ્યક્ત કરશે.

BY DIPAK KATIYA ON DECEMBER 26, 2024

City Updates

Share
Published by
City Updates

Recent Posts

વિશ્વાસ્થા: ગુજરાતી ફિલ્મની નવી રિ-રીલીઝ, પ્રેમ અને વિશ્વાસની અનોખી કથા

જોવા જેવી રી-રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વાસ્થા’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છેલ્લા ઘણા સમાય થી…

4 days ago

વડોદરાનું રમણીય તળાવ “સુરસાગર”

  સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાએ વડોદરાને આગવી ઓળખ અપાવી   વડોદરા શહેર ગુજરાત રાજ્યનું એક…

5 days ago

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ મરાઠી ભાષા મહિમા દિવસ 27 ફેબ્રુઆરી, કુસુમાગ્રજના જન્મદિવસે ઉજવાય…

7 days ago

ત્રિવેણી સંગમનું પવિત્ર જળ અને નારાયણ સરોવર મહાકુંભ સ્નાન

રેવા નીરમાં ભળ્યું હવે ત્રિવેણી સંગમનું પવિત્ર જળ મહાકુંભ ન ગયા પણ નારાયણ સરોવરમાં સ્નાન…

7 days ago

અમદાવાદનો 614મો જન્મદિવસ: ઇતિહાસ, વિકાસ અને શ્રેષ્ઠ 10 સ્થળો

હેપ્પી બર્થડે અમદાવાદ તમારું-મારું આપણું આ શહેર અમદાવાદ.આજે અમદાવાદનો 614 મો જન્મદિવસ. ગુજરાતનું પહેલું હેરિટેજ…

1 week ago

દેશની અડધી વસતી જેટલી સંખ્યાએ કુંભમાં સ્નાન કર્યું

શિવના શરણે શ્રદ્ધાનો મહાસાગર, મહાકુંભનું આજે સમાપન. શ્રદ્ધાળુઓના આ મહાસાગરે તમામ કુંભમેળાના રેકોર્ડ તોડ્યા.દેશ-વિદેશમાંથી 65…

1 week ago