લાલાના ગાડાએ યમનગર ફેરવ્યું રામરાજ્યમાં
રાજા શાહી ઠાઠ બાઠ સાથે પસાર થતા રાજાના રથ નગરનું પૈડું નગરના પ્રવેશદ્વારે જ્યાં લાલો બળદગાડા સાથે પટકાતો હતો તે જ સ્થળે ચોક્કસ સમારકામના અભાવે ખુંપી જતા રથ પલ્ટી જતા રાજા ત્રિકમ પુત્ર સાથે ધડામ દઈ નીચે પટકાયા હતા. જેમાં રાજા સામાન્ય ઘવાયા હતા. પણ કર્મચક્રનું ફળ આડે આવ્યું હોય તેમ આ સમયે રાજકુમાર ઘોડાની નીચે દબાઈ જતા રાજા ત્રિકમનો એકનો એક પુત્ર મણકા ભાંગી જતા આજીવન પથારીવશ બન્યો હતો. અને રાજાને પોતાની ભૂલ સમજાતા પોતાના કર્મની સજા વ્હાલા પુત્રને મળતા ભાંગી પડ્યો . હવે રાજાના મનમાં પશ્ચાતાપ અને પ્રાયશ્ચિતની ભાવના જન્મતા રાજા ગરીબ લાલાની ઝૂંપડીએ દોડી ગયા.
લાલાને સમગ્ર વાતનો ખ્યાલ હતો. પણ, લાલાએ પોતાની ઝૂંપડીમાં રાજાને જોઈ હરખઘેલો બની સેવાચાકરી કરતા રાજાની આખો છલકાઈ ઉઠી. રાજાએ લાલાની માફી માંગવા સાથે લાલાના નુકશાનીની ભરપાઈ સજાના ભાગરૂપે સેનાપતિ હસમુખ, કારીગર ચમન, કડિયો ચંદુ પાસેથી કરાવી , રાજન-સાજન સાથે તમામને કારાગારમાં ધકેલી દીધા. હવે રાજા ત્રિકમ પક્ષપાત વિના તટસ્થ નિર્ણયો કરતા યમનગર રામરાજ્યમાં ફેરવાયું હોય તેમ પ્રજાની યાતનાનો અંત આવ્યો.
BY KALPESH MAKWANA ON NOVEMBER 16, 2024
24 ટકાના વધારા પછી લોકોના મનમાં એક જ સવાલ,સાંસદો 5 વર્ષમાં કેવી રીતે કરોડો કમાતા…
દર મીનીટે 36 ફુટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઇ રહ્યો છે. ભારતમાં 33%ને બદલે…
આજે વિશ્વ કવિતા દિવસ છે ત્યારે પ્રેમ હુંફ અને લાગણીઓ સાથે કલ્પનાની દુનિયા ઉમેરાય અને…
પોલીસનું ઓપરેશન પતાલલોક! ડીજીપીના આદેશ છુટતા બિલમાં સંતાયેલાને બહાર લાવી કાયદાનો ડંડો વીંઝાશે!ગુંડારાજ વધતા પોલીસ…
આ અનોખી પરંપરા અનાદિ કાળથી ચાલતી હોવાનો દાવો.મસાન હોળી વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર મનાવવામાં આવી.…
અંધશ્રદ્ધાના અંત માટે સ્વૈચ્છિક સંગઠનો અને સરકાર દ્વારા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. છતાં સમાજમાંથી…