#trending

મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શેક છે? જોવો લિસ્ટ

મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શેક છે? જોવો લિસ્ટ

 મહાયુતિની ફોર્મ્યુલા 20 -10 -10ની રહેશે

Mahayuti leaders Devendra Fadnavis, Eknath Shinde and Ajit Pawar

મહારાષ્ટ્રની ચૂંટણીથી લઇ પરિણામો અનેક બાબતે ચર્ચામાં રહ્યા હતા,મહાયુતિ અને મહાઆઘાડી વચ્ચેની ટક્કરમાં ચૂંટણી પરિણામોમાં આઘાડીઓ ખુબ પીછાડી રહી ગયા હતા.જોકે પરિણામો બાદ મહાયુતિમાં પણ મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇ અનેક મથામણ પછી મુખ્યમંત્રીનું નામ ફાઇનલ થયું હતું. મુખ્યમંત્રીની પસંદગીની માથાપચ્ચી વચ્ચે મંત્રીમંડળની પસંદગી પણ મહાયુતિ માટે માથાના દુખાવા સમાન રહ્યું હતું ત્યારે હવે આ મડાગાંઠ પણ ઉકેલાય હોવાનું જણાવ મળ્યું છે અને સંભવિત આવતીકાલે મહારાષ્ટ્ર મંત્રીમંડળનો સપથ ગ્રહણ સમારોહ યોજશે તમે મનાય છે.મંત્રીમંડળને લઇ મહાયુતિ ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવી છે જે મુજબ ભાજપના 20 મંત્રી શિવસેનાના 10 મંત્રી અને એનસીપીના પણ 10 મંત્રી હશે તેમ મનાય છે.મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શકે છે તેવા સંભવિત મંત્રીઓનું એક અહીં પ્રસ્તૃત છે.

મહારાષ્ટ્રમાં લાંબા ગાળા બાદ મહારાષ્ટ્રની નવી સરકારના મંત્રી મંડળના વિસ્તરણની તારીખ પર મહોર લાગી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.મહારાષ્ટ્રમાં નવી સરકારના મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ સંભવિત આવતીકાલે બપોરે 12 વાગ્યે રાજભવન ખાતે યોજાશે તેવું જાણવા મળ્યું છે.જો આવતીકાલે મહારાષ્ટ્રના 32 જેટલા મંત્રીઓ શપથ લેશે તેવું જાણવા મળ્યું છે. કેબિનેટનું વિસ્તરણ શિયાળુ સત્ર પહેલા થશે એવું મુખ્ય પ્રધાન ફડણવીસે વિધાનસભાના વિશેષ સત્રના છેલ્લા દિવસે કહ્યું હતું.ભાજપ પાસે સૌથી વધુ વિધાનસભ્યો હોવાને કારણે તેઓનો હાથ ઉપર રહેશે. ત્રણેય પક્ષોના મળીને ૩૫ પ્રધાનો ૧૪ ડિસેમ્બરે બપોરે ૧૨ વાગ્યે શપથ લેશે.

ગૃહ ખાતું કોની પાસે રહેશે?

જે ખાતાને લઇ મુખ્યમંત્રીથી લઇ મંત્રીમંડળની રચના અટવાઈ પડી હોવાનું કહેવાય છે તે ગૃહ ખાતું કોને મળશે તેને લઇ સસ્પેન્શન હજીય યથાવત છે,ગૃહ ખાતાને લઇ મહાયુતિનાં ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ રહી છે તે હકીકત છે.ડે.મુખ્યમંત્રી પદ માટે માની જનાર શિવસેનાએ ગૃહ ખાતાની હટ પકડી હોવાથી મહારાષ્ટ્ર મંત્રીમંડળની જાહેરાત લટકી પડી છે.જોકે મહારાષ્ટ્ર મંત્રીમંડળ વિસ્તરણમાં ભાજપનો જ દબદબો રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે. ભાજપ પાસે સૌથી વધુ 20 ખાતાની શકયતા છે,જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારને 10-10 ખાતા મળશે.જોકે ગૃહખાતું ભાજપ તેની પાસે જ રાખે તેમ મનાય છે.

કોને કયું ખાતું મળી શકે છે?

Mahayuti leaders Devendra Fadnavis, Eknath Shinde and Ajit Pawar.

મુંબઈમાં મહાયુતિની બેઠક બાદ કેબિનેટ વિસ્તરણને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે તેમ કહેવાય છે.આજે સાંજે મહાયુતીની બેઠક યોજાય તેવી શકયતા છે.જેમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથેની આ અંતિમ બેઠક પછી ફોર્મ્યુલા ફાઈનલ કરાશે,જોકે દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ વચ્ચે દિલ્હીમાં થયેલી ચર્ચામાંથી કેટલાક મહત્વના મુદ્દાઓ બહાર આવી રહ્યા છે.ગૃહ અને નાણાં જેવા મહત્વના ખાતા ભાજપ પાસે જ રહેશે. શિવસેનાને નગર વિકાસ ખાતુ મળશે તેવું અનુમાન છે. એનસીપી (અજિત પવાર જૂથ)ને મહેસુલ ખાતું મળી શકે છે. એમ માનવામાં આવી રહ્યું છે કે ભાજપ જાહેર બાંધકામ ખાતું અન્ય પક્ષને સોંપવા માટે તૈયાર થઈ ગયો છે.

મંત્રીઓનું લિસ્ટ

ભાજપના ચહેરાઓ..

— ચંદ્રશેખર બાવનકુળે
— ગિરીશ મહાજન
— રાધાકૃષ્ણ વિખે પાટીલ
— સુધીર મુનગંટીવાર
— રવિન્દ્ર ચવ્હાણ
— નિતેશ રાણે
— શિવેન્દ્ર રાજે ભોસલે
— જયકુમાર ગોર
— જયકુમાર રાવલ
— ગોપીચંદ પડલકર
— અશોક ઉઇકે
— પંકજા મુંડે
— ચંદ્રકાંત પાટીલ
— મોનિકા રાજલે
— વિદ્યા ઠાકુર/ સંજય ઉપાધ્યાય
— સ્નેહલ દુબે – ઉત્તર ભારતીય ચહેરા તરીકે

શિવસેનાના સંભવિત ચહેરાઓ..

— ઉદય સામંત
— શંભુરાજ દેસાઈ
— દીપક કેસરકર
— ભરત ગોગાવલે
— દાદા સ્ટ્રો
— ગુલાબરાવ પાટીલ
— મંજુલા ગાવિત
— સંજય રાઠોડ
— સંજય શિરસાટ

અજિત પવારના સંભવિત ચહેરા

— છગન ભુજબળ
— દિલીપ વાલસે પાટીલ
— હસન મુશ્રીફ
— ધનંજય મુંડે
— અદિતિ તટકરે
— ધર્મરાવ બાબા આત્રામ
— સંજય બનસોડે

BY DIPAK KATIYA ON DECEMBER 13, 2024

 

City Updates

Recent Posts

ગુજરાતમાં ભાજપની મહાન જીત, કોંગ્રેસ માટે મોટી ચિંતાની બાબત

હવે પાલિકા પંચાયતો પણ ભગવા'મય   સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના રોલરનીચે કોંગ્રેસનો કચ્ચરઘાણ.66 નગર પાલિકામાંથી…

20 hours ago

ગુજરાતમાં કોંગ્રેસનો પરાજય: શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં BJPનો દબદબો

શહેર બાદ હવે ગામડાઓમાં પણ કોંગ્રેસનો સફાયો   ન્યાય યાત્રામાં કોંગ્રેસે કહ્યું હતું ભાજપના પાપનો…

21 hours ago

મહારાણી ચીમનાબાઈના સ્મારકો: વડોદરાની ઐતિહાસિક વારસો અને તેમના યોગદાન

મહારાણીની સ્મૃતિ જીવંત રાખતા આ સ્મારકો ચીમનાબાઈનો જન્મ શ્રીમંત સરદાર હૈબત રાવસાહિબ ચવ્હાણ મોહિતે અને…

2 days ago

વડોદરામાં પીકઅવર્સમાં ટ્રાફિક સમસ્યાઓ: વાહનચાલકોને રાહત ક્યારે?

વડોદરામાં પીકઅવર્સમાં વાહનચાલકો પરેશાન સુવિધા-સુરક્ષા માંગતા વાહનચાલકો.સર્કલો નાના કરાયા .બ્રિજો બનાવ્યા છતાં વકરતી ટ્રાફિક સમસ્યા.…

4 days ago

ગંગા: આદ્યાત્મિક યાત્રા અને મહાકુંભની પવિત્ર ડૂબકી

મહાકુંભમાં છે જ્યાં ડૂબકી લગાવી રહ્યા એ ગંગા મૈયાની આદ્યાત્મિક સફર કરાવશે આ અહેવાલ.  …

4 days ago

જેલ: એક અલગ દુનિયા | જેલની હકીકત, કેદીઓનું જીવન અને સુરક્ષા વ્યવસ્થા

"જેલ" એક અલગ દુનિયા   સાંભળતા જ ડરામણો લાગતો શબ્દ "જેલ"ની વાસ્તવિકતા જેલના દ્રશ્યો ફિલ્મો…

5 days ago