મોબાઈલ ની લાઇફ વધારવા માંગો છો ? બેટરી ચાર્જ કરો આ રીતે
બેટરી વારંવાર ડેડ થવાનો અર્થ એ છે કે સારો ફોન ખરાબ થઈ રહ્યો છે. આપણે નવા સ્માર્ટફોનની ખૂબ કાળજી રાખીએ છીએ, પરંતુ જ્યારે ફોન થોડો જૂનો થવા લાગે છે, ત્યારે આપણે કાળજી લેવાનું ભૂલી જઈએ છીએ. ત્યારે બેટરી લો થવાથી લોકો વારંવાર પોતાના ફોનને ચાર્જિંગમાં મુકે છે. ત્યારે ચાલો જાણીએ દિવસમાં કેટલીવાર ફોન ચાર્જ કરવો જોઈએ.
ફોનને ચાર્જિંગ પર મૂકવાની એક સાચી રીત છે. તમને જણાવી દઈએ મોબાઈલ ફોનને દિવસમાં 2 જ વખત ચાર્જમાં મુકવો જોઈએ. તેથી વધારે વખત કે દિવસમા વારંવાર ફોન ચાર્જ કરવાથી તમારા ફોનની બેટરી લાઈફ પર અસર પડે છે.
જ્યારે ફોનમાં 20% ચાર્જ બાકી રહ્યું હોય ત્યારે ફોનને ચાર્જમાં મુકવો જોઈએ તેમજ 80 % ચાર્જિંગ થઈ જાય કે તરત જ બહાર કાઢી લેવો જોઈએ. એટલે કે 100 ટકા બેટરી ચાર્જ કરવાનું ટાળવું જોઈએ. ઘણા લોકો એવા પણ હોઇ છે જે સવાર સાંજ 100% બેટરી ચાર્જ કરતાં હોય છે . તેઓ પણ જો મોબાઈલ ની આવરદા વધારવા માંગતા હોય તો મોબાઈલ 80% જ ચાર્જ કરવું જોઈએ.
તમે 45-75ના નિયમને પણ અનુસરી શકો છો. એટલે કે, જ્યારે ફોનની બેટરી 45% અથવા તેનાથી ઓછી હોય, ત્યારે જ તમે તેને ચાર્જ પર મૂકી શકો છો. અને જ્યારે તે 75% સુધી પહોંચે ત્યારે જ તમે ચાર્જિંગને દૂર કરી શકો છો. આ પદ્ધતિ ફોનની બેટરીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે.
By Shweta Baranda on December 24, 2024
હીટ સ્ટ્રોક વધવાની શક્યતાથી સરકાર સજ્જ બની રહી છે! ગુજરાત સહીત 13 રાજયોમાં તાપમાન નોર્મલથી…
વડોદરા શહેર ભાજપના પ્રમુખ પદે જય પ્રકાશ સોનીની નિમણુંક. પ્રદેશ ભાજપની 41 શહેર-જિલ્લાના પ્રમુખોની જાહેરાત.…
જોવા જેવી રી-રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વાસ્થા’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છેલ્લા ઘણા સમાય થી…
સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાએ વડોદરાને આગવી ઓળખ અપાવી વડોદરા શહેર ગુજરાત રાજ્યનું એક…
૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ મરાઠી ભાષા મહિમા દિવસ 27 ફેબ્રુઆરી, કુસુમાગ્રજના જન્મદિવસે ઉજવાય…
રેવા નીરમાં ભળ્યું હવે ત્રિવેણી સંગમનું પવિત્ર જળ મહાકુંભ ન ગયા પણ નારાયણ સરોવરમાં સ્નાન…