Categories: Magazine

સ્વાસ્થ્ય માટે શિયાળામાં અગત્યના ટીપ્સ: આ ઋતુમાં કેવી રીતે રાખો તંદુરસ્તી

શિયાળો એટલે સ્વાસ્થ્ય અને શરીરને આખા વર્ષ માટે ચાર્જ કરવાની ઋતુ

શિયાળો એટલે આખા વર્ષ ની તાજગી ને પોતાનામાં સમાઈ લેવાની ઋતુ. કારણ કે શિયાળા માં કરેલી કસરત તેમજ આ ઋતુ દરમ્યાન ખાધેલું ખાનપાન વર્ષ દરમ્યાન શક્તિ થી ભરપૂર રાખે છે. જો કે એના માટે ની શરત છે કે તમારે વહેલી સવારે ઊઠવું પડશે , કસરત કરવી પડશે અને ના ગમતું પણ ખાવું પડશે.

જો કે શિયાળો એવી રીતે ઋતુ છે કે સવારે ઊઠવામાં આળસ ઘણી આવતી હોય છે. રાત્રે ભલે ગમે તેટલું પ્રણ લઈ ને સૂતા હોય પણ સવાર થતાં જ એટલી મીઠી નિંદર આવતી હોય છે કે બસ સમય અહી જ રોકાઈ જાય છે બસ પથારી ન છોડીએ તેવું વિચારતા હોઇએ છીએ. કોઇ ઊઠવાનું કહે તો તરત આળસ આવી જાય છે કારણ પથારીમાંથી ઊઠવાની ઈચ્છા જ થતી નથી. બસ પાંચ મિનિટ, પાંચ મિનિટ કરીને અડધો કલાક નીકળી જાય અને પછી રોજિંદાકાર્ય માટે ઉતાવળ કરવી પડે છે.

એક તો અધૂરી ઊંઘ અને તેમાં વળી કામનો બોજ બસ થઇ રહ્યું, સમગ્ર દિવસ દરમિયાન શરીરમાંથી સ્ફૂર્તિ ગાયબ થઇ જાય છે. આમાંથી બચવાનો એકદમ સરળ ઉપાય છે થોડા વહેલાં ઊઠીને કસરત કરો જેનાથી શરીરમાંથી આળસ ગાયબ થઇ જાય છે. આમ પણ શિયાળામાં સ્વાસ્થ્ય જાળવવા લોકો અવનવા નુસખા કરે છે. સારું સ્વાસ્થ્ય બનાવવા લોકો વિવિધપ્રકારનાં રસ, વસાણા અને અડદિયું,મેથી પાક, ખજૂર પાક વગેરેનું સેવન કરે છે. આ ઋતુમાં સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો સમગ્ર વર્ષ સારૂ રહે છે.

આમ તો શહેરમાં પહેલાં જેવી ઠંડી પડતી નથી. પણ તેમ છતાં ઠંડીની ઋતુનો અનુભવ તો જરૂર થાય છે. તેવા સમયે લોકો સ્વાસ્થ બનાવવાનો મોકો ચૂકતા નથી. જેમાં સૌથી જરૂરી છે યોગ્ય આહાર. શિયાળામાં લીલાં શાકભાજી વધુ પ્રમાણમાં મળે છે જેથી તેનો ઉપયોગ કરી તંદુરસ્તી ની કાળજી રાખી શકાય છે. આજના અતિ ફાસ્ટ યુગમાં આમ પણ ઘણીવાર લોકો પાસે ખાસ સમય નથી હોતો. તેમ છતાં શિયાળામાં ગમે ત્યાંથી સમય કાઢીને કસરત કરતા જોવા મળે છે. જ્યારે સ્વાસ્થ્ય બનાવવા માટે આપણે જે પ્રકારનાં પાકો ખાઇએ છીએ તેમાં વધુ પ્રમાણમાં ચરબી હોય છે. તેવા સમયે કસરત પણ જરૂરી બની જાય છે.

શિયાળામાં ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. એક તો ભૂખ, બીજુ સ્કીન અને ત્રીજુ કસરત. આમ પણ શિયાળામાં ભૂખ વધુ લાગે છે જેના કારણે કસરત કરવી હિતાવહ છે. આમ તો સમગ્ર વર્ષ દરમિયાન કસરત કરવી હિતાવહ છે. જો કે ઘણા લોકો ફક્ત શિયાળામાં જ કસરત કરે છે. ત્યાર પછી ઘણાં લોકો કસરત છોડી દે છે.
મહત્વનું છે કે શિયાળામાં ભૂખ વધુ લાગે છે જેના કારણે ખોરાક વધુ પ્રમાણમાં લેવાય છે ત્યારે કસરત દ્વારા આપણે ફરીથી વધતી ચરબીને ઓછી કરી શકીએ છીએ. જેના કારણે લીલાં શાકભાજી અને ફ્રૂટ જેવો ન્યૂટ્રિશિયસ ખોરાક લેવો જોઇએ. આમ પણ શિયાળમાં લીલાં શાકભાજી અને ફ્રૂટ આસાનીથી મળી રહે છે. અને એકંદરે સસ્તા પણ હોય છે . તો રોજ ફ્રૂટ અને લીલા શાકભાજી સેવન કરવું જોઈએ. જેથી કરી આખું વરસ તમે ચાર્જ રહી શકો અને સ્ફુરતીલા અનુભવી શકો.

By Shweta Baranda on December 19, 2024

City Updates

Share
Published by
City Updates

Recent Posts

“છત્રપતિ શિવાજી મહારાજ: હિન્દુ સમ્રાટના શૌર્ય અને સાંકડી ઈતિહાસની યાત્રા

હિન્દ,હિન્દવી અને સ્વરાજ પણ.. ‘ધ પ્રાઇડ ઓફ ભારત-છત્રપતિ શિવાજી મહારાજ’ જેની ત્રાડથી મુગલો કાંપી ઉઠતા…

3 days ago

ગુજરાતમાં ભાજપની મહાન જીત, કોંગ્રેસ માટે મોટી ચિંતાની બાબત

હવે પાલિકા પંચાયતો પણ ભગવા'મય   સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના રોલરનીચે કોંગ્રેસનો કચ્ચરઘાણ.66 નગર પાલિકામાંથી…

4 days ago

ગુજરાતમાં કોંગ્રેસનો પરાજય: શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં BJPનો દબદબો

શહેર બાદ હવે ગામડાઓમાં પણ કોંગ્રેસનો સફાયો   ન્યાય યાત્રામાં કોંગ્રેસે કહ્યું હતું ભાજપના પાપનો…

4 days ago

મહારાણી ચીમનાબાઈના સ્મારકો: વડોદરાની ઐતિહાસિક વારસો અને તેમના યોગદાન

મહારાણીની સ્મૃતિ જીવંત રાખતા આ સ્મારકો ચીમનાબાઈનો જન્મ શ્રીમંત સરદાર હૈબત રાવસાહિબ ચવ્હાણ મોહિતે અને…

5 days ago

વડોદરામાં પીકઅવર્સમાં ટ્રાફિક સમસ્યાઓ: વાહનચાલકોને રાહત ક્યારે?

વડોદરામાં પીકઅવર્સમાં વાહનચાલકો પરેશાન સુવિધા-સુરક્ષા માંગતા વાહનચાલકો.સર્કલો નાના કરાયા .બ્રિજો બનાવ્યા છતાં વકરતી ટ્રાફિક સમસ્યા.…

1 week ago

ગંગા: આદ્યાત્મિક યાત્રા અને મહાકુંભની પવિત્ર ડૂબકી

મહાકુંભમાં છે જ્યાં ડૂબકી લગાવી રહ્યા એ ગંગા મૈયાની આદ્યાત્મિક સફર કરાવશે આ અહેવાલ.  …

1 week ago