Categories: Magazine

16 નવેમ્બર : આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ

16 નવેમ્બર : આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ

સહિષ્ણુતાના વલણને ઉજાગર કરવા દર વર્ષે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ દિવસે, લોકોને વૈશ્વિક સહિષ્ણુતાના મહત્વ અને અસહિષ્ણુતાના દુષ્પ્રભાવો વિશે જાગૃત કરવામાં આવે છે.

આ ધરતી પર મનુષ્યો અને પ્રાણીઓ વસે છે. જ્યાં માનવીઓમાં ધીરજ, ઉદારતા તેમજ સહનશીલતા હંમેશા તેમના સ્વભાવમાં રહે છે. આ વલણને ઉજાગર કરવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ દિવસે, લોકોને વૈશ્વિક સહિષ્ણુતાના મહત્વ અને અસહિષ્ણુતાના દુષ્પ્રભાવો વિશે જાગૃત કરવામાં આવે છે.

જાણો આ દિવસ ક્યારે શરૂ થયો

જનજાગૃતિ પેદા કરવા, અસહિષ્ણુતાના જોખમો પર ભાર મૂકવા અને સહિષ્ણુતા પ્રોત્સાહન અને શિક્ષણના સમર્થનમાં નવેસરથી પ્રતિબદ્ધતા અને પગલાં સાથે પ્રતિક્રિયા આપવા માટે, સંયુક્ત રાષ્ટ્રએ 16 નવેમ્બરના રોજ વાર્ષિક આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસની ઘોષણા કરી હતી. આ દિવસની ખાસ વાત એ છે કે સહિષ્ણુતા અને અહિંસાને પ્રોત્સાહન આપવા માટે યુનેસ્કો દ્વારા દર વર્ષે મદન જીત સિંહ એવોર્ડ આપવાની પણ પરંપરા છે. આ એવોર્ડમાં વિજેતાને એક લાખ યુએસ ડોલરની ઈનામી રકમ આપવામાં આવે છે. આ પુરસ્કાર વિજ્ઞાન, કલા, સંસ્કૃતિ અથવા સંદેશાવ્યવહારના ક્ષેત્રોમાં સહિષ્ણુતા અને અહિંસાને પ્રોત્સાહન આપવાના હેતુથી આપવામાં આવે છે.

અસહિષ્ણુતાના પરિણામો

અસહિષ્ણુતાના પરિણામે પેદા થતી હિંસક કે અપમાનજનક પ્રતિક્રિયા થી સમાજમાં વ્યાપક ભય સર્જાય છે. ધાર્મિક બાબતોને લઈને કરાયેલો એક હુમલો બીજા લાખો લોકોના મનમાં ડર પેદા કરે છે. ત્યારે આ સ્થિતિમાં ટોચના નેતાઓ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. કોઈ અધકચરી ઘટનાને કારણે લાખો લોકોના મનમાં ભય પેદા ન થાય તેનું ધ્યાન ટોચના નેતાઓ અને માધ્યમોએ રાખવું પડશે. આપણે મિશ્ર સમાજ છીએ જેમાં સહિષ્ણુતા અને અસહિષ્ણુતા બન્નેનું અસ્તિત્ત્વ છે. તેને હાલ પૂરતું સ્વીકારવા જેટલા સહિષ્ણુ બનીએ અને સ્થિતિને સુધારવાના પ્રયાસો કરીએ.

 

સહિષ્ણુતાનો એટલે શું ?

આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસના અવસર પર, સહિષ્ણુતાના અર્થને સમજવા માટે વર્તમાન પરિસ્થિતિને તપાસવી જરૂરી છે. જો આપણે અહીં આજની જીવનશૈલીમાં જોઈએ તો દરેક વ્યક્તિને કોઈને કોઈ કામ કરવાની ઉતાવળ હોય છે. ધીરજ, સંયમ અને સહનશક્તિ જેવા શબ્દોનું અસ્તિત્વ ઘટતું જાય છે. સહનશીલતા એ કોઈ વ્યક્તિની એવી માન્યતાને સહન કરવાની ક્ષમતા છે કે જેની સાથે તેઓ સંમત ન હોય. સહનશીલતા મહત્વપૂર્ણ છે કારણ કે તે વધુ સુમેળભર્યા, સુખી સમાજને તે પ્રોત્સાહન આપે છે. જો સંવાદિતાની લાગણી સર્વત્ર હશે તો સ્વાભાવિક છે કે વાસ્તવિક સહિષ્ણુતાનો દિવસ આવશે.

City Updates

Share
Published by
City Updates

Recent Posts

“છત્રપતિ શિવાજી મહારાજ: હિન્દુ સમ્રાટના શૌર્ય અને સાંકડી ઈતિહાસની યાત્રા

હિન્દ,હિન્દવી અને સ્વરાજ પણ.. ‘ધ પ્રાઇડ ઓફ ભારત-છત્રપતિ શિવાજી મહારાજ’ જેની ત્રાડથી મુગલો કાંપી ઉઠતા…

3 days ago

ગુજરાતમાં ભાજપની મહાન જીત, કોંગ્રેસ માટે મોટી ચિંતાની બાબત

હવે પાલિકા પંચાયતો પણ ભગવા'મય   સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના રોલરનીચે કોંગ્રેસનો કચ્ચરઘાણ.66 નગર પાલિકામાંથી…

4 days ago

ગુજરાતમાં કોંગ્રેસનો પરાજય: શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં BJPનો દબદબો

શહેર બાદ હવે ગામડાઓમાં પણ કોંગ્રેસનો સફાયો   ન્યાય યાત્રામાં કોંગ્રેસે કહ્યું હતું ભાજપના પાપનો…

4 days ago

મહારાણી ચીમનાબાઈના સ્મારકો: વડોદરાની ઐતિહાસિક વારસો અને તેમના યોગદાન

મહારાણીની સ્મૃતિ જીવંત રાખતા આ સ્મારકો ચીમનાબાઈનો જન્મ શ્રીમંત સરદાર હૈબત રાવસાહિબ ચવ્હાણ મોહિતે અને…

5 days ago

વડોદરામાં પીકઅવર્સમાં ટ્રાફિક સમસ્યાઓ: વાહનચાલકોને રાહત ક્યારે?

વડોદરામાં પીકઅવર્સમાં વાહનચાલકો પરેશાન સુવિધા-સુરક્ષા માંગતા વાહનચાલકો.સર્કલો નાના કરાયા .બ્રિજો બનાવ્યા છતાં વકરતી ટ્રાફિક સમસ્યા.…

7 days ago

ગંગા: આદ્યાત્મિક યાત્રા અને મહાકુંભની પવિત્ર ડૂબકી

મહાકુંભમાં છે જ્યાં ડૂબકી લગાવી રહ્યા એ ગંગા મૈયાની આદ્યાત્મિક સફર કરાવશે આ અહેવાલ.  …

7 days ago