#trending

બાયોગેસ પ્લાન્ટ :ફર્ટિલાઈઝર બનાવતું ગુજરાતનું પ્રથમ વડોદરા APMC માર્કેટ

બાયોગેસ પ્લાન્ટ :ગ્રીન વેસ્ટમાંથી બાયોગેસ, ફર્ટિલાઈઝર બનાવતું ગુજરાતનું પ્રથમ વડોદરા APMC માર્કેટ

ગ્રીન વેસ્ટમાંથી કેન્ટીનની લાઈટ, સ્ટ્રીટ્ લાઈટ કાર્યરત

વડોદરા એપીએમસી માર્કેટ દ્વારા છેલ્લાં 12 વર્ષથી શાકભાજીના ગ્રીન વેસ્ટમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. ઉપરાંત તેમાંથી નીકળતાં કચરાંને પ્રોસસ કરી લિક્વિડ તેમજ પાઉડર ફોર્મમાં ફર્ટિલાઈઝર બનાવવામાં આવે છે. ભારત અને ગુજરાતમાં આ પ્રકારની ઉમદા પહેલ સૌ પ્રથમ વડોદરા એપીએમસી માર્કેટ દ્વારા કરાઈ હતી. તે બાદ સુરત અને અમદાવાદ એપીએમસી માર્કેટ દ્વારા પણ આ પહેલને અનુસરવામાં આવી છે.

જે વિશે બાયોગેસ પ્લાન્ટ ઓપરેટર શુભાંક ટાકલકરએ જણાવ્યું હતું કે, આર્યન એસોસિએટસ્ દ્વારા વડોદરા સહિત અનેક જગ્યાઓ કે, જ્યાં ગ્રીન વેસ્ટ નીકળે છે, ત્યાં બાયોગેસ પ્લાન્ટ લગાવાયાં છે. અમારો ઉદ્દેશ્ય ગ્રીન વેસ્ટને નેટ ઝીરો કરવાનો છે. વડોદરા એપીએમસી માર્કેટમાં 183 દુકાનો છે. જેમાંથી દરરોજનો સરેરાશ સાડા સાત ટન ગ્રીન વેસ્ટ નીકળે છે. જે સિઝન પ્રમાણે વધતું – ઓછું થાય છે. જે શિયાળામાં ઓછું અને ચોમાસામાં વધુ નીકળે છે.
અમે દુકાનદારોને વેસ્ટ સેગ્નિગેશનની તાલીમ આપી હોવાથી તેઓ કોઈપણ શાકભાજીનો જથ્થો ખરાબ થવા લાગે તો અમને ઈન્ફોર્મ કરે છે અને અમારા માણસો તે લઈને પ્લાન્ટ પર આવે છે. વેસ્ટમાંથી પ્લાસ્ટિક છૂટું પાડી તેને ક્રેશરમાં પાણી સાથે મિકસ કરી સ્લરી બનાવાય છે. ત્યારબાદ તેને ડાઈજેસ્ટરમાં નાંખી તેના પર વિવિધ બાયો કેમિકલ પ્રોસેસ કરાય છે. જેમાંથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છે. જેને સ્ટોર કરવા અમારી પાસે 3 ટેન્ક છે. જેની કુલ ક્ષમતા 8 ટનની છે અને શાકભાજી કશ કરવા 2 ક્રશર છે. વળી, આ 3 ટેન્ક ભરાઈ ગયાં બાદ જે એકસ્ટ્રા ગેસ બચે છે, તેને પણ અમે 100 કયૂબિક મીટરના બલૂનમાં સ્ટોર કરી લઈએ છીએ.

7 ટન ગ્રીન વેસ્ટમાંથી સરેરાશ 400 ક્યૂબિક ગેસ ઉત્પન્ન થાય છે. જેનાથી અમે 15 KVAનું જનરેટર ચલાવીએ છે. જેનો ઉપયોગ ખેડૂતો માટે બનાવાયેલી કેન્ટીન, સ્ટ્રીટ લાઈટ તેમજ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં થાય છે. આગામી સમયમાં અમે વધુ કેપેસિટીનું જનરેટર વસાવીશું. જેનાથી એપીએમસીની ઓફિસના એ.સી તેમજ લાઈટસ્ ચાલશે. અમે વર્ષમાં બે બાર ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા તાલીમ આપીએ છીએ. જેનો લાભ 7 હજાર જેટલાં ખેડૂતો લે છે. ગ્રીન વેસ્ટમાંથી જે ફર્ટિલાઈઝર બને છે તે એપીએમસીમાં આવતાં ખેડૂતોને રાહતદરે આપવામાં રીતે સદ્ઉપયોગ કરીએ છીએ.

અમે જે બાયોગેસ પ્લાન્ટ લગાવ્યા છે. તેનો પ્રોસેસ નેચરલ અને ગ્રેવિટિ ડ્રોવન છે. જેમાં ઓછી ઉર્જાએ મિથેન ગેસનો સદ્ઉપયોગ થાય છે. આ ટેકનોલોજી સરકારના નિયમન અનુસાર છે. દર વર્ષે બાયોગેસ પ્લાન્ટમાંથી જે પણ ઉર્જા કે ફર્ટિલાઈઝર ઉત્પાદિત થાય છે, તેનો સમગ્ર રિપોર્ટ એપીએમસીને સબમિટ કરાય છે. ભારતમાં 35 થી 40 ડિગ્રી તાપમાન હોય જ છે અને મિથેન ગેસ બનવા માટે પણ આટલા જ ડિગ્રી તાપમાનની જરુર હોય છે. જે ઓર્ગેનિક વેસ્ટ માટે અનુકુળ પદ્ધતિ છે, આવે છે. આમ, અમે ગ્રીન વેસ્ટનો સંપૂર્ણ તેવું શુભાંક ટાકલકરે જણાવ્યું.

શુભાંક ટાકલકરે ઉમેર્યું કે, બાયોગેસ પ્લાન્ટમાંથી જે વેસ્ટ નીકળે છે, તેની સ્લરીમાં 8 થી 10% સોલિડ કોન્ટેન્ટ હોય છે. જેને છુટું પાડી તેમાં જરુરી એન્ગઝાઈમ અને બેક્ટેરિયા ભેળવી પાઉડર ફોર્મમાં ફર્ટિલાઈઝર બનાવાય છે. જ્યારે સ્લરીમાંથી જે બાયો વોટર બચે છે. તેને પ્રોસેસ કરી તેમાંથી લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુઅલ બનાવાય છે. જે જમીનની ગુણવત્તા જાળવી રાખવામાં મદદ કરે છે અને જમીનને પોચી રાખે છે. ફર્ટિલાઈઝર બનાવવાનો ફોર્મ્યુલા કૃષિ સાયન્ટિસ્ટ દ્વારા તૈયાર કરાયેલો છે. વળી, અમે પેકેજિંગમાં પણ ખુબ ધ્યાન રાખીએ છે, જેની થેલીમાં લાઈનર મૂકીએ છે, જેથી ખાતરની અંદરનું ભેજ જળવાઈ રહે છે. જ્યારે લિક્વિડ ફર્ટિલાઈઝર બોટલમાં પેક કરાય છે.

BY KALPESH MAKWANA ON DECEMBER 30, 2024

City Updates

Recent Posts

મસાનમાં ‘ભસ્મ હોળી’ કેમ રમાય છે જાણો?

આ અનોખી પરંપરા અનાદિ કાળથી ચાલતી હોવાનો દાવો.મસાન હોળી વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર મનાવવામાં આવી.…

1 day ago

હજુ પણ ગુજરાતમાં જીવે છે અંધશ્રદ્ધા!

અંધશ્રદ્ધાના અંત માટે સ્વૈચ્છિક સંગઠનો અને સરકાર દ્વારા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. છતાં સમાજમાંથી…

1 day ago

આજે વિશ્વ મહિલા દિવસ શું સાચે જ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું?

  આ વર્ષની થીમ છે 'ઝડપથી કામ કરવું' એટલે ઝડપથી સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ ની…

4 days ago

વડોદરામાં પૂર રોકવા માટે વિશ્વામિત્રી નદીની ઊંડી અને પહોળી કરવાનું કાર્ય

  - નદીની વહન ક્ષમતા વધારવા પ્રથમ તબક્કે 65.52 લાખનો ખર્ચ વડોદરા શહેરમાં આવેલ વિનાશક…

4 days ago

આ વર્ષે ગરમી ગાભા કાઢશે!

હીટ સ્ટ્રોક વધવાની શક્યતાથી સરકાર સજ્જ બની રહી છે! ગુજરાત સહીત 13 રાજયોમાં તાપમાન નોર્મલથી…

6 days ago

વડોદરા શહેર ભાજપાના નવા પ્રમુખ જાહેર

વડોદરા શહેર ભાજપના પ્રમુખ પદે જય પ્રકાશ સોનીની નિમણુંક. પ્રદેશ ભાજપની 41 શહેર-જિલ્લાના પ્રમુખોની જાહેરાત.…

6 days ago