Categories: Magazine

જાણો, દ્વારકામાં કેમ ચાલી રહ્યા છે “દાદા”ના બુલડોઝર

બેટ દ્વારકા બાદ હવે દ્વારકામાં દબાણો પર તંત્રની તવાઇ

ગેરકાયદેસરના ધાર્મિક દબાણો સાથે મકાનો જમીનદોસ્ત કરાયા

સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં હાલ જે ગેરકાયદે દબાણો હોય તેને દૂર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. ખાસ કરીને , ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર પણ ખૂબ વિશાળ છે. ત્યાંથી પણ જે રીતે ઘૂસણખોરી થઈ રહી છે તેને અટકાવવા માટે પણ હાલ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. આ બધા વિષયોને ધ્યાને લઈને દ્વારકા જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે.

મહત્વનું છે કે, દ્વારકાના દરિયાઈ માર્ગથી દુશ્મન દેશના લોકોની ઘૂસણખોરી તેમજ આતંકવાદી ગતિવિધિ વધવાની સંભાવનાને નકારી શકાય તેમ નથી. દરિયાઈ માર્ગના કારણે આ વિસ્તાર અનૈતિક પ્રવૃતિઓ માટે વધુ સંવેદનશીલ છે. આવા વિસ્તારમાં બહુ જલદી લોકો નકલી દસ્તાવેજ બનાવી સરળતાથી વસવાટ કરી રહ્યા છે.

દ્વારકા અને જામનગરમાં સંયુક્ત રીતે 35 ટાપુ આવેલા છે. હાલ દ્વારકા ના 23 ટાપુઓ પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. દ્વારકાનો આ વિસ્તાર બોર્ડર પાસે આવેલ હોય વધુ સંવેદનશીલ છે. આ વિસ્તાર પાકિસ્તાન નજીક હોવાથી ટાપુઓની સુરક્ષા વધુ મહત્વની બની રહે છે. ગેરકાયદેસરના ધાર્મિક દબાણો અને રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવવાને લઈને કેટલાક લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ,આ મામલો દેશની સુરક્ષા સાથે સંકળાયેલ હોય પ્રશાશન દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં હાથ ધરાયેલ મેગા ડિમોલિશનમાં ગત છ દિવસમાં કુલ 1.14 લાખથી વધુ ચોરસ મીટરની જેના પણ દબાણો હતા તે સરકારી જગ્યા ખુલી કરવામાં આવી છે. જે જગ્યાઓ ખુલી કરાવવામાં આવી છે તેની અંદાજિત કિંમત 60 કરોડથી વધુની છે. બેટ દ્વારકાના હનુમાન દાંડી રોડ પર અનેક દબાણો દૂર કરવામાં આવ્યા છે. બુલડોઝર એક્શનમાં 376 મકાનો 13 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળી કુલ 398 દબાણો દુર કરવાની કાર્યવાહી પૂર્ણ થઇ છે. પીરોટન ટાપુ સહિતના સ્થળોએથી ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

BY KALPESH MAKAWANA ON 18  JANUARY, 2025

City Updates

Share
Published by
City Updates

Recent Posts

Leading the Future of Innovation and Entrepreneurship at Parul University

Parul University Leads Innovation and Entrepreneurship with AICTE and MoE's FDP Initiative Parul University, a…

5 days ago

સાંસદોને પગાર વધારાની જરૂર લાગે છે!?

24 ટકાના વધારા પછી લોકોના મનમાં એક જ સવાલ,સાંસદો 5 વર્ષમાં કેવી રીતે કરોડો કમાતા…

2 weeks ago

આજે વિશ્વ વન દિવસ..જાણો કેમ મહત્વનો છે આજનો દિવસ

દર મીનીટે 36 ફુટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઇ રહ્યો છે. ભારતમાં 33%ને બદલે…

3 weeks ago

વિશ્વ કવિતા દિવસ 2025: કવિતાનું મહત્વ અને સમાજમાં તેની ભૂમિકા

આજે વિશ્વ કવિતા દિવસ છે ત્યારે પ્રેમ હુંફ અને લાગણીઓ સાથે કલ્પનાની દુનિયા ઉમેરાય અને…

3 weeks ago

ગુજરાત પોલીસનું ઓપરેશન પતાલલોક: ગુંડાઓ સામે કડક કાર્યવાહી

પોલીસનું ઓપરેશન પતાલલોક! ડીજીપીના આદેશ છુટતા બિલમાં સંતાયેલાને બહાર લાવી કાયદાનો ડંડો વીંઝાશે!ગુંડારાજ વધતા પોલીસ…

3 weeks ago

મસાનમાં ‘ભસ્મ હોળી’ કેમ રમાય છે જાણો?

આ અનોખી પરંપરા અનાદિ કાળથી ચાલતી હોવાનો દાવો.મસાન હોળી વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર મનાવવામાં આવી.…

1 month ago