મહાકુંભમાં છે જ્યાં ડૂબકી લગાવી રહ્યા એ ગંગા મૈયાની આદ્યાત્મિક સફર કરાવશે આ અહેવાલ.
ગંગા-જમના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ અદભુત આદ્યાત્મિકતાની અનુભૂતિ કરાવે છે.અત્યારસુધીમાં લગભગ 50 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં જઈ ડૂબકી લગાવી.વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા,આસ્થા,સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાના અદભૂત સંગમ તરીકે ઉજવવામાં આવતા મહાકુંભ મેળામાં પહેલા લાખો શ્રદ્ધાળુઓ આવતા અને લાભ લેતા હતા જોકે આ વર્ષે 144 વર્ષ બાદ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં હવે કરોડોની સંખ્યામાં ભક્તો પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં ભેગા થઈ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે.અત્યારસુધીમાં લગભગ 50 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં જઈ ડૂબકી લગાવી છે,કદાચ આ સંખ્યા ભારત અને ચીનના દેશની વસ્તી પછી સૌથી વધુ હશે,જોકે આજે કુંભમેળાની સાથે સાથે વાત કરવી છે,ગંગા નદી વિષે,અહીં આપણે ગંગા મૈયાની આદ્યાત્મિક સફર કરીશું.આમ તો મહાકુંભ એક મહા ધાર્મિક ઉત્સવનું જીવંત મિશ્રણ છે,જેમાં પવિત્ર સ્નાન સમારંભ હૃદયમાં છે.ગંગા,યમુના અને પૌરાણિક સરસ્વતી નદીઓના સંગમ પર,જેને ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે,જ્યાં લાખો ભક્તો આ અત્યંત મહત્વપૂર્ણ વિધિ કરવા માટે ભેગા થયા છે એવું માનવામાં આવે છે કે આ પવિત્ર પાણીમાં ડૂબવાનું કાર્ય એક પાપને શુદ્ધ કરે છે,વ્યક્તિઓ અને તેમના પૂર્વજો બંનેને પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત કરે છે અને આખરે તેમને મોક્ષ અથવા આધ્યાત્મિક મુક્તિ તરફ માર્ગદર્શન આપે છે.સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવી એ કરોડો તીર્થસ્થાનોની મુલાકાત લેવા સમાન છે.પવિત્ર સંગમમાં ડૂબકી મારનાર વ્યક્તિ તેના તમામ પાપોથી મુક્ત થાય છે તેવી ધાર્મિક આસ્થા છે.ગંગામાં પણ પવિત્ર ડૂબકીનું પણ વિશેષ મહત્વ છે.ગંગા સાથે ભારતનાં પ્રાણ પ્રાચીન સમયથી જોડાયેલાં છે.ગંગા જાણે કે આપણી આત્માનું પ્રતીક બની ગઈ છે.જો દેશનો કોઇ આત્મા અને તેનું પ્રતીક હોય તો ગંગા જ આપણું પ્રતીક છે.લાખો વર્ષોથી લાખો લોકો તેની પાસે મુક્તિ મેળવે છે,પરમાત્માના દર્શન પામે છે,આત્મ-સાક્ષાત્કાર કરે છે. લાખો લોકો તેનાં કિનારે અંતિમ ઘટનાને ઉપલબ્ધ થાય છે એટલે જ એમ કહેવું પડે કે,ગંગા માત્ર એક નદી જ નથી,પણ આદ્યાત્મિક યાત્રા છે.
ભારત ઘણા રંગો અને નદીઓની ભૂમિ છે જ્યાં દરેક નદી તેની પોતાની દંતકથા સાથે તેના આધ્યાત્મિક મહત્વ માટે એક અનોખું મહત્વ ધરાવે છે.ત્યારે ગંગા હિમાલય ગ્લેશિયરના પગથી ઉગે છે,ઉત્તરાખંડના હિમાલયની મધ્યભૂમિમાં ગંગાની એક અલૌકિક સુંદરતા દેખાય છે,ગંગા ભાગીરથી તેના મૂળથી ઓળખાય છે.આ હિમનદીમાંથી નીકળતી નદી ગૌમુખ તેના જન્મથી જ પવિત્ર બને છે, તેના મૂળની નજીક એક અલાયદું મંદિર આવેલું છે.હિંદુ પૌરાણિક કથાઓમાં માનવામાં આવ્યું છે કે, તેના ધોધમાર પાણીને કાબૂમાં લેવા,ગંગાજીને શિવજીએપોતાની જટાઓમાં સમાવી લીધા હતા.પ્રાચીન માન્યતાઓ મુજબ ઋષિ ભગીરથ દ્વારા કરવામાં આવેલી તપસ્યા પછી ગંગા નદી પૃથ્વી પર આવી હતી,જેના કારણે ગંગાને તેના સ્ત્રોત પર ભાગીરથી પણ કહેવામાં આવે છે.ગંગા નદીને રસ્તામાં પવિત્ર નદીઓ સાથે સંગમ પણ થાય છે અને આ સંગમને ભારતના સૌથી પવિત્ર સ્થળો તરીકે ગણવામાં આવે છે.જેમાં એક પ્રયાગરાજ પણ છે જ્યાં મહાકુંભનો ભવ્ય અને અદકેરો ધાર્મિક મેળવેલો હાલ ચાલી રહ્યો છે.ત્યારે ગંગા નદીનાં પ્રતીકને સમજવા જેવું છે.ગંગા સાથે હિન્દુઓનાં મન ઊંડાણપૂર્વકથી જોડાયેલાં છે.ગંગાને આપણે હટાવી લઇએ તો ભારતને ભારત કહેવું મુશ્કેલ બની જાય તેમ છે.ગંગાને હટાવી લઇએ તો ભારતનું સમગ્ર સાહિત્ય અધૂરું રહી જશે.ગંગાને હટાવી લઇએ તો અસંખ્ય ઋષિઓનાં નામ ખોવાઈ જશે,અનેક તીર્થ ખોવાઇ જશે,આપણાં તમામ તીર્થની ભાવના ખોવાઈ જશે.
— બધી નદીઓનાં પાણી બોટલમાં ભરીને મૂકી એ સડી જશે પણ ગંગાનું પાણી નહીં..!
— વૈજ્ઞાનિક રીતે પણ સિધ્ધ થઈ ગયું છે કે ગંગાનું પાણી અસાધારણ છે
— પવિત્ર નદીઓની છાયામાં જે તરંગ છે એ વ્યક્તિને બદલી શકે છે!
—કૃષ્ણ કહે છે હું નદીઓમાં ગંગા છું
ગંગા સાધારણ નદી નથી. એક આદ્યાત્મિક યાત્રા અને આદ્યાત્મિક પ્રયોગ છે. લાખો વર્ષોથી લાખો લોકો તેની પાસે મુક્તિ મેળવે છે, પરમાત્માના દર્શન પામે છે, આત્મ-સાક્ષાત્કાર કરે છે. લાખો લોકો તેનાં કિનારે અંતિમ ઘટનાને ઉપલબ્ધ થાય છે. એ બધાં લોકો પોતાની જીવન ઊર્જાને ગંગાનાં પાણી પર, તેનાં કિનારા પર છોડી ગયા છે.એટલાં માટે જ તો કૃષ્ણ પણ કહે છે, “હું નદીઓમાં ગંગા છું.”
વડોદરામાં પીકઅવર્સમાં વાહનચાલકો પરેશાન સુવિધા-સુરક્ષા માંગતા વાહનચાલકો.સર્કલો નાના કરાયા .બ્રિજો બનાવ્યા છતાં વકરતી ટ્રાફિક સમસ્યા.…
"જેલ" એક અલગ દુનિયા સાંભળતા જ ડરામણો લાગતો શબ્દ "જેલ"ની વાસ્તવિકતા જેલના દ્રશ્યો ફિલ્મો…
બજેટમાં રોડ પર 'ભાર' પણ કેટલો પૂરો થશે? વડોદરામાં 12 જેટલા રોડ બજેટમાં મુકવામાં આવ્યા.સ્માર્ટસીટી…
આજની પેઢીની રોમાન્સ ડ્રામા થી ભરપૂર લવસ્ટોરી એટલે કે ‘લવયાપા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં…
વડોદરાની પાણી સમસ્યા હલ કરવા પાલિકાએ બજેટમાં બતાવ્યું 'પાણી'! બજેટમાં શુધ્ધ પાણી વિતરણ અને ગટર…
- રોજે ખવાતા પાનનો રસિલો ઇતિહાસ મઘમઘતું પાન તારું ઝણકાવે અંતર મારું, ખઇકે પાન બનારસવાલા,…