અહીં એક સમયે હાથગાડા ,બળદગાડા ,ઊંટગાડાનું હતું અસ્તિવ. મોલની કોમ્પિટિશનમાં અડીખમ “હાથીખાના બજાર”
ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ વડોદરા જિલ્લો સૌથી મોટા જિલ્લાઓમાંનો એક છે. વડોદરામાં કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (A.P.M.C) ની સ્થાપના ૧૪ જાન્યુઆરી ૧૯૫૮ ના રોજ થઈ હતી. કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (A.P.M.C) વડોદરા જિલ્લામાં સૌથી મોટું બજાર સ્થળ છે. જ્યાં કૃષિ ખાદ્ય પદાર્થોનું વેચાણ સૌથી વધુ થાય છે. APMC એક એવી જગ્યા છે જ્યાં ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદન વેચવા આવે છે અને ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વજન, મહત્તમ ભાવ અને રોકડ ચુકવણી મળે છે. આ બજાર સાથે લગભગ ૧૦૪ ગામો જોડાયેલા છે. A.P.M.C માં સયાજીપુરા માર્કેટ યાર્ડ અને હાથીખાના માર્કેટ યાર્ડનો સમાવેશ થાય છે.
વડોદરા શહેરના તુલસીવાડી નજીક આવેલ હાથીખાના માર્કેટયાર્ડ વર્ષ 1965થી કાર્યરત છે. જ્યારે એ.પી.એમ.સીની રચના થઈ, તે વખતે આ માર્કેટ યાર્ડ બનાવવમાં આવ્યું હતું. લોકોને એક જ સ્થળે કરિયાણું મળી રહે તે હેતુથી આ બજારનું નિર્માણ કરાયું હતું. ત્યારથી આખા શહેરના વેપારીઓ હાથીખાના માર્કેટ યાર્ડમાં આવીને હોલસેલનો વેપાર કરવા લાગ્યા હતા. હાથીખાના માર્કેટયાર્ડમાં 400 જેટલા વેપારીઓ છે. હાથીખાના માર્કેટયાર્ડમાં તમામ લોકો ખરીદી શકે છે. શહેરમાં આવેલ અસંખ્ય પ્રોવિઝન સ્ટોરના વેપારીઓ પણ આ માર્કેટયાર્ડમાંથી જ ખરીદી કરે છે.
હાથીખાના બજાર વડોદરાના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. બજારના કારણે આસપાસ વસતા અનેક લોકોને રોજગારી મળી રહી છે. હાથીખાના બજારથી શહેર જિલ્લાના સહુ કોઈ વાકેફ છે. આજે મોલની કોમ્પિટિશનમાં પણ વડોદરાવાસીઓ હાથીખાના બજારમાંથી ખરીદીનો આગ્રહ રાખતા હોય છે. અગાઉ આ બજારનો રૂપરંગ કેવો રહ્યો હશે તે જાણવા પણ નવી પેઢીમાં ઉત્સુકતા હોય છે. ત્યારે બજારની કેટલીક યાદો અહીં જીવંત કરવાનો પ્રયાસ કરીશું.
પશુના ગળે બાંધેલ ઘંટડીઓના મધુર અવાજ સાથે માથે પાઘડો અને ધોતિયા ઝભ્ભામાં સજ્જ ગાડા હાંકનાર શહેરમાં ગામડાનું સુંદર દ્રશ્ય ઉભું કરતા હતા. અને હા બાળકો ઊંટગાડા અને બળદગાડાની પાછળ ટીંગાઈ છુપી સવારીનો આનંદ માણવાનો અવસર ચુકતા ન હતા. આ અનાજ બજરમાં વર્ષો અગાઉ પશુ બજાર પણ ભરાતું હતું. બકરી , ભેંસ, બળદ , ગધેડા , સહિતના પશુના ખરીદ વેચાણ માટે લોકો અન્ય શહેર જિલ્લામાંથી પણ આવતા હતા. તે સમયે બજારમાં પશુઓની સુવિધા હેતુ પાણીના મોટા હોજ પણ હતા. બજારમાં એક સમયે કેન્ટીનની પણ બોલબાલા હતી.
ખાસ કરીને, હાથીખાના બજારમાં અગાઉ જમીનમાં દાટેલ મોટા પથ્થરો ઠેર ઠેર જોવા મળતા હતા. પરંતુ રસ્તામાં નડતરરૂપ બનતા તેને દૂર કરાયા હતા. બહારથી માત્ર બે ફૂટ જેટલા બહાર દેખાતા આ પથ્થરો જમીનમાં 5 ફૂટ સુધીના હતા. કહેવાય છે કે, હાથી બાંધવા માટે આ પથ્થરોનો ઉપયોગ થતો હતો. બજારના પ્રવેશ દ્વાર નજીકઆવેલ તળાવ હાથી તળાવ તરીકે ઓળખાતું હતું. લોકો માટે પાણીની જરીરિયાતને પહોંચી વળવા આ બજારમાં કૂવાનું પણ અસીત્વ હતું. પશુઓ માટે ઘાસચારાની પણ વ્યવસ્થા હતી. બજારની અંદર ગાયકવાડી શાશનના લાકડાના મહેલ જેવા મોટા દરવાજા પણ હતા. બજાર પશુ પક્ષીઓ માટે પણ આશીર્વાદરૂપ છે. અહીં ચણ સરળતાથી મળી રહેતું હોવાથી બજારમાં અને આસપાસ મોટી સંખ્યામાં કબૂતર, પોપટ, જેવા પક્ષીઓનો વસવાટ પણ છે.
BY KALPESH MAKWANA ON JANUARY 22, 2025
જોવા જેવી રી-રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વાસ્થા’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છેલ્લા ઘણા સમાય થી…
સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાએ વડોદરાને આગવી ઓળખ અપાવી વડોદરા શહેર ગુજરાત રાજ્યનું એક…
૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ મરાઠી ભાષા મહિમા દિવસ 27 ફેબ્રુઆરી, કુસુમાગ્રજના જન્મદિવસે ઉજવાય…
રેવા નીરમાં ભળ્યું હવે ત્રિવેણી સંગમનું પવિત્ર જળ મહાકુંભ ન ગયા પણ નારાયણ સરોવરમાં સ્નાન…
હેપ્પી બર્થડે અમદાવાદ તમારું-મારું આપણું આ શહેર અમદાવાદ.આજે અમદાવાદનો 614 મો જન્મદિવસ. ગુજરાતનું પહેલું હેરિટેજ…
શિવના શરણે શ્રદ્ધાનો મહાસાગર, મહાકુંભનું આજે સમાપન. શ્રદ્ધાળુઓના આ મહાસાગરે તમામ કુંભમેળાના રેકોર્ડ તોડ્યા.દેશ-વિદેશમાંથી 65…